Nari tu Narayani Essay in Gujarati | નારી તું નારાયણી ( Best 3 )

Table of Contents

Nari tu Narayani Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં નારી તું નારાયણી વિશે નિબંધ(Nari tu Narayani Essay in Gujarati) શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

નારી તું નારાયણી(Nari tu Narayani Essay in Gujarati)સાંભળી આપણે આપણી માતા, પત્ની, બહેન યાદ આવી જાય.નારીના બધા સ્વરૂપ વંદનીય છે.

તો ચાલો આજે આપણે નારી તું નારાયણી(Nari tu Narayani Essay in Gujarati) વિશે એક સરસ મજાનો નિબંધ લખીશું.ઘણીવાર પરીક્ષામાં નારી તું નારાયણી વિશે નિબંધ પુછતો હોય છે.આ લેખ તમને પરીક્ષા માટે એક સરસ નિબંધ લખવામાં મદદ કરશે.વિદ્યાર્થી મિત્રોને વકૃતવ સ્પર્ધામાં ભાગ લેવામાં પણ મદદ કરશે.તો ચાલો આપણે નારી તું નારાયણી નિબંધ(Nari tu Narayani Essay in Gujarati) પર લખયે.

ભગવાન પછી આ પૃથ્વી પર જો કોઈ સર્જન કરતા હોય તો તે એક નારી છે.નારીના ઘણા રૂપો છે જેમ કે માતા, પત્ની, પુત્રી અને બહેન.નારી તે સમાજને હમેશા સાચી દિશા આપે છે.

નારી અને નરએ સમાજ રૂપી વાહનના બે પૈડા છે. જો કોઈ પૈડું નબળું પડે કે બગડે તો સમાજની પ્રગતિમાં અવરોધ ઉતપન્ન થાય.સમાજને ગતિશીલ રાખવા બનેને સમાજ અધિકારો મળવા જોઈએ.

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

પ્રાચીન ભારતમાં નારીની સ્થિતિ

પ્રાચીન ભારતમાં નારીઓની સ્થિતિ ખુબ સારી હતી.આપણા વૈદિક કાળમાં નારીઓનું આદરણીય સ્થાન હતું. જેમાં અહલીયા, મંદોદરી, કૈકાઈ વગેરે તેમની બહાદુરી અને વિવેકબુદ્ધિ માટે પ્રખ્યાત હતી.અનુસૂયા, સીતા, સુલોચના વગેરેના આદર્શો આજે પણ માનવામાં આવે છે.મહાભારત કાળની ગાંધારી, કુંતી, દ્રૌપતિનું મહત્વ ભૂલી શકાય તેમ નથી, તે કાળમાં નારીઓ ખુબ જ પૂજનીય હતી. પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ બ્રહ્મચર્યનું પાલન કરીને શિક્ષણ લેતી હતી.

Must Read Matruprem Essay in Gujarati

તે પછી તે તેના લગ્નનું આયોજન કરતી. ઈશાના 500 વર્ષ પહેલાં, વ્યાકરણ પારાની દ્વારા જાણવા મળ્યું છે કે તે સમયની નારીઓ વેદનો અભ્યાસ કરતી હતી. તે સમયની નારીઓ સ્તોત્રોની રચના પણ કરતી હતી અને તેને બ્રહ્મવાદિની કહેવામાં આવતી હતી. પ્રાચીન ભારતમાં નારી અને નરને સમાન ગણવામાં આવતા હતા અને સમાન સન્માન આપવામાં આવતું હતું.

પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન સમાજમાં સન્માનીય હતું. નારીઓ પણ નરની સાથે યજ્ઞોમાં ભાગ લેતી, યુદ્ધમાં લડતી, શાસ્ત્રાર્થ કરતી હતી. ધીમે ધીમે નારીઓનું સ્થાન નક્કી થયું પછી નરએ નારીઓ માટે આકરા નિયમો બનાવ્યા અને તેમને જીવન પસાર કરવા પિતા, પતિ અને પુત્રનો સહારો લેવાની જરૂર પડવા લાગી. સદીઓ પહેલા, નારીઓને તેમના પતિ પસંદ કરવાની સ્વતંત્રતા હતી.

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

કોઈ દીકરીના પિતા સ્વયંવર સભાઓનું આયોજન કરતા હતા, જેમાં નારી પોતાની મરજીથી તેના પતિનું વર્ણન કરતી હતી. આવી સુવિધાઓ એટલા માટે આપવામાં આવી હતી કારણ કે તેઓ શિક્ષિત હતા અને તેઓ નારીના સારા-ખરાબ વિશે યોગ્ય રીતે વિચારી શકતા હતા. મુઘલોના શાસન દરમિયાન, કલા, શિક્ષણ, સાહિત્ય અને અન્ય વિવિધ ગુણો પ્રાપ્ત કરવાની રીતિઓ અદૃશ્ય થઈ ગઈ હતી.

Must Read Mahatma Gandhi Essay in Gujarati

મધ્યકાલીન સમયગાળો નારીઓ માટે અભિશાપ રહીયો હતો. મુઘલોના આક્રમણના પરિણામે, નારીઓની દુઃખદ પરિસ્થિતિ થઈ હતી. મુઘલ શાસકોની કામુકતાએ નારીને આનંદની વસ્તુ બનાવી દીધી હતી, તે ઘરની સીમમાં કેદી બની ગઈ હતી. પુરુષ પર નિર્ભર રહેવાથી તે નબળી પડી ગઈ હતી.

“યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા.”

જે ઘરમાં નારીઓનું સન્માન થાય છે, નારીઓની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી થાય છે, ત્યાં સમાજ અને પરિવારમાં ભગવાન પ્રસન્ન થાય છે. જે ઘરમાં આવું થતું નથી અને તેમની સાથે તિરસ્કારથી વ્યવહાર કરવામાં આવે છે, ત્યાં ભગવાનની કૃપા રહેતી નથી અને ત્યાં કરેલા કાર્યો સફળ થતા નથી.

“મને મારી હિંમતથી મારું ભાગ્ય બદલવા દો,
સાંભળો દુનિયા, હા હું સ્ત્રી છું.”

આધુનિક સમયગાળો સ્ત્રી ચેતના અને સ્ત્રી મુક્તિનો સમયગાળો છે. રાજા રામમોહન રોય, મહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ વગેરેએ સ્ત્રીઓને પ્રતિષ્ઠિત બનાવવાના સફળ પ્રયાસો કર્યા.

Must Read Uttarayan Essay in Gujarati

કવિએ શબ્દોમાં લોકોના મનની વાત કહી

“નારી તું નારાયણી”

હકીકતમાં નારી અને નરએ જીવનના રથના બે પૈડા છે. સ્ત્રી-પુરુષની એકતાએ જીવનને સાર્થક બનાવે છે.તેથી તેને બંધન માનવું એ ભૂલ છે.

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati) (3)

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

આજની નારીઓ પુરૂષોના ખંભા થી ખંભો મળાવી ચાલી રહી છે. નારીઓ ચંદ્ર પર ધ્વજ લગાવીને કલ્પના ચાવલા બની રહી છે. કિરણ બેદીના રૂપમાં ગુનેગારોને પકડવા, અરુણા રાય અને મેઘા પાટકર તરીકે કામ કરીને તે સામાજિક અન્યાય સામે લડી રહી છે. પ્રતિભા પાટીલ ભારતના સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે. આજની નારી સાહસી બનીને લોકસભામાં પણ રાજ કરી રહી છે. અને ઘણી નારીઓ છે જે આદરણીય છે.જેમ કે લતા મંગેશકર જે ગાયિકા બનીને પણ ભારત રત્ન મેળવી રહી છે. આજની નારીઓ દરેક ક્ષેત્રમાં સન્માન મેળવી રહી છે. અને પુરૂષોના ખભે થી ખભા મિલાવી ચાલી રહી છે.

Must Read Janmashtami Essay in Gujarati

આજની સ્ત્રી ઘરકામ સિવાય ભણી અને લખીને બેવડી જવાબદારી નિભાવી રહી છે.ઘરકામ સાથે નોકરી કરવીએ નારી માટે જમણા હાથનું કામ છે. તો પછી પુરુષને કેમ સમજાતું નથી કે એક સ્ત્રી જે પોતાનું આખું જીવન પોતાના ઘર, તેના બાળકો અને તેના પરિવાર માટે આપી દે છે. તેથી નારીને માન આપો અને તેનું અપમાન ન કરો. નાની છોકરીઓ જે દેવીનું સ્વરૂપ હોય છે.તેથી તેને જેમ છે તેમ સ્વીકારો.

આજે ભારત દેશની લાયક સ્ત્રીઓ વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. તેઓ કુશળ ડોકટરો, I.A.S ઓફિસર, પોલીસ અને એન્જીનીયરની મોટી નોકરીઓ અને સેનામાં કામ કરી રહી છે. કેટલાક સેવા ક્ષેત્રો એવા પણ છે જેમાં નારીઓ અગ્રણી ભૂમિકા ભજવે છે. નર્સિંગ, શિક્ષણ, સામાજિક અને સમુદાય સેવામાં સ્ત્રીઓની સંખ્યા નોંધપાત્ર છે.શિક્ષણના પ્રચારને કારણે સ્ત્રીઓ પણ શિક્ષક તરીકે તેમની વિશેષ ભૂમિકા ભજવી રહી છે.

આજની સ્ત્રીઓ પણ આગળ વધીને દૂરદર્શન, રેડિયો અને સિનેમામાં ભાગ લઈ રહી છે. ભારતમાં પહેલાના સમયમાં સ્ત્રીઓ એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી, હવે તેઓ પાયલટ તરીકે પણ કામ કરવા લાગી છે. આ બધું નારી શિક્ષણ અને તેમના સમર્પણનું પરિણામ છે. જે તેને દેશની સેવામાં પ્રથમ સ્થાન અપાવી રહ્યું છે. પોલીસમાં કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ હોદ્દા પર પણ નારીઓની ભાગીદારી વધી રહી છે.

Must Read Statue of Unity Essay in Gujarati

લોકસભાની, સરકારી સેવા અને વિધાનસભા ચૂંટણીમાં નારીઓ માટે ઓછામાં ઓછી 30 ટકા બેઠકો અનામત રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે. ગામડાના વડા તરીકે નારીઓની લોકપ્રિયતા વધી રહી છે. એવું માનવામાં આવે છે કે શિક્ષણ મેળવવામાં તેમની ટકાવારીમાં વધારો કરી દેવામાં આવે તો સ્ત્રીઓ આપોઆપ ભારત દેશની તમામ પ્રકારની સેવાઓમાં અગ્રણી ભૂમિકા ભજવી શકશે.

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

ભારત દેશમાં આવી ઘણી સંસ્થાઓ છે, જે સ્ત્રીઓમાં શિક્ષણ અને અધિકારો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્વામી દયાનંદજી દ્વારા સ્થાપિત આર્ય સમાજે નારી જાગૃતિ માટે બહુ કામ કર્યું છે. આજે પણ આર્ય સમાજની શાળાઓ દ્વારા કન્યાઓને શિક્ષણ આપવા માટે ઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભારતની અન્ય સંસ્થાઓ અને શાળાઓ પણ નારીઓના શિક્ષણ માટે ઘણું કરી રહી છે.બાલ ભારતી, શિશુ ભારતી, શિક્ષા ભારતીના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ છેલ્લા 2-3 દાયકાથી કન્યાઓના શિક્ષણ માટે વ્યાપક પગલાં લઈ રહ્યયા છે.

Must Read Children’s Day Essay in Gujarati

સારાંશ

માંના રૂપે સ્ત્રી તેના બાળકની જિંદગીને સાચી દિશા આપે છે તે પત્ની બની ઘર સંસાર ચલાવે છે.તે બહેન બનીને તેના ભાઈની રક્ષા કરે છે.નારીના ઘણા સ્વરૂપ છે અને બધા વંદનીય અને પૂજનીય છે.

હું અપેક્ષા રાખું છું કે અમારો નારી તું નારાયણી નિબંધ તમને ખૂબ ગમ્યો હશે.નારી તું નારાયણી નિબંધ (Nari Tu Narayani Essay in Gujarati) તમને પરીક્ષા માટે ખુબ ઉપયોગી બનશે.આવા ઘણા બધા રસપ્રદ નિબંધો અમારા બ્લોગમાં રાખવામાં આવીયા છે તે પણ તમે વાંચી શકો છો.જો તમને ખરેખર આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો આજે જ તમારા મિત્રો સાથે શેર કરો.તમારી એક કમેન્ટ, લાઈક અને શેયર અમને આવી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરક બળ આપે છે.

Nari tu Narayani Essay in Gujarati જેવો નિબંધ લખવાનાં સ્ટેપ્સ અહીં આપેલા છે (Steps for Essay Writing)

વિષય પસંદ કરો

તમે જે વિષય પર નિબંધ લખવા માગો છો તે નક્કી કરો.તમે તમારા શિક્ષક વડે આપેલ વિષય કે તમારી રૂચિના અધાર પર વિષય નક્કી કરી શકો છો.

બ્રેઈનસ્ટોર્મ અને રિસર્ચ

સંશોધન કરીને અને વિચારોનું મંથન કરીને  તમારા વિષય વિશેની માહિતી એકઠી કરો. માહિતી એકત્ર કરવા માટે પુસ્તકો, શૈક્ષણિક જર્નલ્સ અને પ્રતિષ્ઠિત વેબસાઇટસ જેવા વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરો.

થીસીસ સ્ટેટમેન્ટ બનાવો

એક સ્પષ્ટ હેડલાઈન બનાવો જે તમારા નિબંધનો હેતુ અને તમે જેના પર લખાણ કરો તેને સમજાવે.

એક રૂપરેખા બનાવો

તમારા વિચારોને એક રૂપરેખામાં ગોઠવો જેમાં મુખ્ય ફકરા, પરિચય અને નિષ્કર્ષનો સમાવેશ થાય છે. આ તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

પરિચય લખો

ધ્યાન ખેંચે તેવા વાક્યથી શરૂવાત કરો જે વાચકને આકર્ષિત કરે છે અને વિષયનો પરિચય આપે છે. તમારા વિષયનો થોડો પરિચય આપે.

ફકરા લખો

દરેક ફકરાએ એક જ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તમારા વિષયને સમર્થન આપે છે. તમારી વિષયને સમર્થન આપવા માટે પુરાવા અને ઉદાહરણોનો ઉપયોગ કરો.

નિષ્કર્ષ લખો

તમારા થીસીસ સ્ટેટમેન્ટને નવી રીતે ટૂંકમાં લખો અને તમારા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપો. વધુ સારો દેખાવ કરવા કરવા માટે અંતિમ વિચાર અથવા પ્રશ્ન લખી વાચક પર છોડી દો.

સુધારો અને સંપાદિત કરો

તમારા નિબંધનું અવલોકન કરો કે તે સુવ્યવસ્થિત, સુસંગત અને ભૂલ-મુક્ત છે તેની ખાતરી કરો. વ્યાકરણ અને જોડણીની ભૂલો માટે તપાસો અને ખાતરી કરો કે તમારા વિચારો અસરકારક અને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

તમારો નિબંધ સબમિટ કરો

એકવાર તમે તમારા નિબંધથી સંતુષ્ટ થઈ જાઓ, તમારા પ્રકાશક અથવા પ્રશિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર તેને સબમિટ કરો.

 

ગુજરાતી નિબંધ (gujarati nibandh) ના પ્રકાર

(૧)  વિવર્ણનાત્મક નિબંધ

આ પ્રકારના નિબંધોમાં સ્થળોનું કે કોઈ કાલ્પનિક ઘટના કે ચોક્કસ પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે.

(૨)  વર્ણનાત્મક નિબંધ

આ પ્રકારના નિબંધોમાં સ્થાન, તહેવાર, પ્રાકૃતિક દ્રશ્ય, મુસાફરી, પર્યટક સ્થળ, મેળો, પ્રસંગો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે.

(૩)  ભાવનાત્મક નિબંધ

આવા નિબંધોમાં મનમાં ઉદ્ભવતી અલગ અલગ ભાવનાઓને નિબંધની માફક વર્ણવવામાં આવે છે. જેમ કે ક્રોધ, ટીકા, મિત્રતા, તિરસ્કાર,  પ્રેમ વગેરેનો સમાવેશ થાય છે.જેમ કે નારી તું નારાયણી(Simple Nari tu Narayani Essay in Gujarati) એ ભાવનાત્મક નિબંધ છે

(૪)  ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે

આવા નિબંધોમાં, રૂઢિપ્રયોગ, નિબંધ એ કહેવત અથવા કોઈ પણ પ્રખ્યાત પંક્તિનું નિવેદન લઈને રચિત હોય છે, જેમકે, જ્યાં સંપ ત્યાં જંપ, વિદ્યા વિનયથી શોભે છે વગેરે

(૫)  વિચારશીલ નિબંધ

આ પ્રકારના નિબંધોમાં મનમાં ઉદ્ભવતા વિચારો અને દલીલો ને નિબંધ રૂપે લખવામાં આવે છે. ફિલસૂફી, સમાજ, સાહિત્ય, ધર્મ વગેરે વિષયો લેખક પોતાની દ્રષ્ટિથી વર્ણવે છે.
નિબંધ લખવાના ફાયદાઓ
વિવેચનાત્મક વિચાર કૌશલ્યોનો વિકાસ થાય છે
લેખન કૌશલ્યોમાં વધારો થાય છે
સંદેશાવ્યવહાર કૌશલ્યમાં વૃદ્ધિ થાય છે
વિષયના જ્ઞાનમાં વધારો થાય છે
સુધારેલ સમય-વ્યવસ્થાપન કૌશલ્યો વિકસે છે
ઉન્નત સર્જનાત્મકતામાં વધારો થાય છે
સુધારેલ સ્વ-અભિવ્યક્તિ
કારકિર્દી વિકાસમાં વધારો થાય છે
અક્ષરમાં સુધારો થાય છે
લખવાની ઝડપમાં વધારો થાય છે

 

નિબંધ લખવા માટેના સવાલ જવાબો (F&Q for Essay Writing)

નિબંધ શું છે?

નિબંધએ એક લેખિત કાર્ય છે જે કોઈ વિષય અથવા મુદ્દાની દલીલ, મૂલ્યાંકન અથવા વિશ્લેષણ રજૂ કરે છે. તેમાં સામાન્ય રીતે મુખ્ય ફકરા, પરિચય અને નિષ્કર્ષનો સમાવેશ થાય છે.જેમ અમે નારી તું નારાયણી(Easy Nari tu Narayani Essay in Gujarati)માં ફકરાઓ આપેલ છે

નિબંધનો હેતુ શું છે?

નિબંધનો હેતુ વિષયનું સુસંગત અને સારી રીતે સમર્થિત વિશ્લેષણ અથવા દલીલ રજૂ કરવાનો છે. નિબંધોનો ઉપયોગ ઘણીવાર વિદ્યાર્થીના વિષય અને જ્ઞાનની સમજને દર્શાવવા, અન્ય લોકોને ચોક્કસ દૃષ્ટિકોણથી સમજાવવા અથવા વ્યાપક શૈક્ષણિક પ્રવચનમાં યોગદાન આપવા માટે કરવામાં આવે છે.નારી તું નારાયણી(Best Nari tu Narayani Essay in Gujarati) વડે અમારો હેતુ નારીના મહત્વને દર્શાવાનો છે.

કેટલા પ્રકારના નિબંધો છે?

નિબંધોના ઘણા વિવિધ પ્રકારો છે, જેમાં વર્ણનાત્મક નિબંધો, દલીલાત્મક નિબંધો, એક્સપોઝિટરી નિબંધો અને પ્રેરક નિબંધોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના નિબંધનો પોતાનો હેતુ અને માળખું હોય છે.જેમ કે નારી તું નારાયણી(Good Nari tu Narayani Essay in Gujarati) એ ભાવનાત્મક નિબંધ છે

તમે નિબંધ કેવી રીતે લખશો?

નિબંધ લખવા માટે, તમારે વિષય પર તમારા વિચારોનું આયોજન અને સંશોધન કરીને શરૂઆત કરવી જોઈએ. પછી, તમારી લેખન પ્રક્રિયાને માર્ગદર્શન આપવા માટે એક રૂપરેખા બનાવો. એક પરિચય લખો જે વાચકનું ધ્યાન ખેંચે અને તમારા થીસીસ સ્ટેટમેન્ટને સ્પષ્ટપણે જણાવે. મુખ્ય ફકરાઓમાં, તમારી દલીલ માટે પુરાવા અને સમર્થન પ્રદાન કરો. છેલ્લે, એક નિષ્કર્ષ લખો જે તમારા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપે.

નિબંધ કેટલો લાંબો હોવો જોઈએ?

નિબંધની લંબાઈ સોંપણી અને શિક્ષકની જરૂરિયાતોને આધારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે, નિબંધો થોડા ફકરાઓથી લઈને કેટલાક પૃષ્ઠો સુધીના હોઈ શકે છે. શિક્ષક અથવા અસાઇનમેન્ટ સૂચનાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ કોઈપણ માર્ગદર્શિકાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.નારી તું નારાયણી(Simple and Easy Nari tu Narayani Essay in Gujarati)એ મધ્યમ લાંબો નિબંધ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *